Latest Breaking News On - Pakistan general - Page 8 : vimarsana.com
શરણાગતિની તસવીર અને પાકિસ્તાનના ગાલે તમાચો Share
ત
સવીરો વિશે પહેલેથી એવું કહેવાતું આવ્યું છે કે, તસવીર ખોટું નથી બોલતી. તસવીર જે સાચું હોય એ સામે લાવીને મૂકી દે છે. એક તસવીર હજાર શબ્દોની ગરજ સારે છે એવું પણ કહેવાતું રહ્યું છે. કેટલીક ઐતિહાસિક તસવીરો એવી હોય છે જે એક-બે હજાર નહીં પણ લાખો-કરોડો શબ્દોની ગરજ સારે છે. તસવીરોમાં અવાજ નથી હોતો પણ એ કાન ફડી નાખે એવા ધડાકાઓ અને આંખો પહોળી કરી દે એવા ચમકારાના અનુભવો કરાવે છે. ૧૯૭૧માં પાકિસ્તાને ભારત સામે ઘૂંટણિયા ટેકવી દીધા હતા. એ ઘટનાની તસવીર બતાવીને પાકિસ્તાનને અનેક વખત અરીસો બતાવવામાં આવ્યો છે અને યાદ અપાવવામાં આવી છે કે, કેવી હાલત થઇ હતી એ ખબર છેને? અફ્ઘાનિસ્તાનના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમરૃલ્લાહ સાલેહે પાકિસ્તાનની શરણાગતિની તસવીર ટ્વીટ કરીને સાથે લખ્યું કે, અમારા ઔઇતિહાસમાં આવી કોઇ તસવીર નથી અને હશે પણ નહીં.
અમરૃલ્લાહે જે તસવીર ટ્વીટ કરી છે એમાં ભારતની શૌર્યગાથા પ્રગટ થઇ રહી છે. આ તસવીર બદમાશી કરનાર પાકિસ્તાનની કારમી હાર, લાચારી અને મજબૂરી પણ બયાન કરે છે. ૧૯૭૧માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું. ભારતના પ્રહારથી પાકિસ્તાનની હાલત દયાજનક બની ગઇ હતી. આપણા દેશે એકઝાટકે પાકિસ્તાનના બે ટુકડા કરી નાખ્યા હતા. પૂર્વી પાકિસ્તાન તરીકે ઓળખાતા વિસ્તારને અલગ બાંગ્લાદેશ બનાવી દીધો હતો. ભારતીય સેનાએ ૯૩ હજારથી વધુ પાકિસ્તાની સૈનિકોની પકડી લીધા હતા. પાકિસ્તાન પાસે કોઈ રસ્તો ન બચતા આખરે તેણે શરણાગતિ સ્વીકારી હતી. જે તસવીર છે એ અત્યારે બાંગ્લાદેશની રાજધાની છે એ ઢાકા શહેરના રેસકોર્સ મેદાનમાં લેવામાં આવી હતી. દિવસ હતો તારીખ ૧૬મી ડિસેમ્બર, ૧૯૭૧. ભારતીય સેનાના જનરલ જગજિતસિંહ અરોરાની હાજરીમાં પાકિસ્તાનની સેનાના જનરલ અમીર અબ્દુલ્લાખાં નિયાઝીએ શરણાગતિનાં પેપર્સ ઉપર સહી કરી હતી. જનરલ નિયાઝીએ તો એ વખતે પણ બદમાશી કરવાનો પ્રયાસ કર્યો હતો. પૂરી સહી કરવાને બદલે તેમણે માત્ર એએકે જ લખ્યું હતું. જનરલ અરોરાએ તેને કહ્યું કે, પૂરી સહી કરો પછી જનરલ નિયાઝીએ આખી સહી કરી હતી.
શરણે આવનારાઓ માટે એવું કહેવાય છે કે, પછી એનાં બક્કલ પટ્ટા ઉતરાવી લેવાયાં હતાં. જનરલ નિયાઝી સાથે બાકાયદા એવું જ થયું હતું. ઇતિહાસનાં પાનાંઓમાં લખાયું છે કે, શરણાગતિના દસ્તાવેજ પર સહી કર્યા બાદ પાકિસ્તાનના જનરલ નિયાઝીએ પોતાના સૈન્ય ડ્રેસમાંથી બિલ્લા ઉતાર્યા, રિવોલ્વરમાંથી કારતૂસો કાઢી અને ભારતના જનરલ અરોરાને સોંપ્યાં. નિયાઝીએ પોતાનું માથું ઝુકાવ્યું અને શરણાગતિ સ્વીકારી લીધી. પાકિસ્તાન સાથેના યુદ્ધ વખતે તો આપણી સેના પાકિસ્તાનની હદમાં ક્યાંય સુધી અંદર ઘૂસી ગઇ હતી. પાકિસ્તાને હાર સ્વીકારી એ પછી આપણા દેશે બધો જ વિસ્તાર પાછો સોંપી દીધો હતો. શરણાગતિની તસવીર જેવી અમીર અમરૃલ્લાહે ટ્વીટ કરી કે તેમના પર લાઇક્સનો રીતસરનો વરસાદ થયો. પાકિસ્તાનીઓએ તેમને ખૂબ ગાળો પણ દીધી!
તાલિબાનોના મામલે અફ્ઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે પહેલેથી જ તનાતની ચાલી રહી છે. એ વાત તો આખું જગ જાણે છે કે, પાકિસ્તાન તાલિબાનોને તમામ પ્રકારની મદદ કરી રહ્યું છે. અફ્ઘાનિસ્તાન એક વખત નહીં પણ અનેક વખત પાકિસ્તાનને ચેતવણી પણ આપી ચૂક્યું છે કે, આગ સાથે રમવાનું બંધ કરો. તમે જે આતંકવાદને પોષો છો એ એક દિવસ તમને જ ભરખી જશે. હમણાં એક એવી ઘટના બની જેમાં અફ્ઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ્ ગનીએ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની હાજરીમાં જ એવું કહ્યું કે, પાકિસ્તાનના દસ હજાર જેહાદીઓ અત્યારે તાલિબાનોની મદદ કરવા માટે આવ્યા છે. પાકિસ્તાનમાં અફ્ઘાનિસ્તાનના રાજદૂત તરીકે ફ્રજ બજાવતા નજિબુલ્લાહ અલિખીલની દીકરીની દીકરીનું પાકિસ્તાનમાં અપહરણ કરી લેવાયું હતું. તેને સખત માર પણ મારવામાં આવ્યો હતો. ખુદ અફ્ઘાનિસ્તાનના રાજદૂતે ટ્વીટ કરીને પોતાની દીકરીના અપહરણની વાત કરી હતી. જે દેશમાં બીજા દેશના રાજદૂતની દીકરી પણ સલામત નથી એ દેશની હાલત કેવી હશે એનો અંદાજ આસાનીથી બાંધી શકાય છે.
પાકિસ્તાન ચીનના ખોળે બેઠું છે પણ હવે ચીનાઓ પણ પાકિસ્તાનમાં સલામત નથી. પાકિસ્તાનમાં થોડા દિવસો અગાઉ એક બસમાં બોંબધડાકો થયો હતો. આ બ્લાસ્ટમાં તેર લોકોનાં મોત થયાં હતાં. એ તેરમાં નવ ચીની એન્જિનિયરો હતા. આ ઘટના પછી ચીન પાકિસ્તાન ઉપર ભડક્યું છે. ચીનને એ ડર છે કે, જો પાકિસ્તાનમાં પડયાપાથર્યા રહેતા આતંકવાદીઓ ચીની નાગરિકો ઉપર હુમલા કરવા માંડશે તો શું થશે? ચીન અને પાકિસ્તાનમાં હમણાં એક તસવીર વાઇરલ થઇ છે. આ તસવીર પાકિસ્તાનમાં ચીન-પાકિસ્તાન ઔઇકોનોમિક કોરિડોરમાં કામ કરતા એક એન્જિનિયરની છે. કામ કરી રહેલા આ ચીની એન્જિનિયરના એક હાથમાં મશીનગન છે. ચીનના નાગરિકોએ પાકિસ્તાનમાં મશીનગન સાથે રાખીને કામ કરવું પડે છે!
પાકિસ્તાનને એમ છે કે, તાલિબાનો જો અફ્ઘાનિસ્તાનનો કબજો કરી લેશે તો આપણને ફયદો થશે. અફ્ઘાનિસ્તાનથી ભારત દૂર થઇ જશે. પાકિસ્તાન ચીનને અફ્ઘાનિસ્તાનમાં ઘુસાડી શકશે. પાકિસ્તાનને એ વાતની સમજ નથી કે જે તાલિબાનો અફ્ઘાનિસ્તાન કબજે કરી શકે છે એ તમને પણ હેરાન કરી શકે છે. અમેરિકાનાં ભૂતપૂર્વ વાઇસ પ્રેસિડેન્ટ હિલેરી ક્લિન્ટને એક વખત પાકિસ્તાન વિશે એવું કહ્યું હતું કે, આતંકવાદીઓને પનાહ આપવાનું બંધ કરો. તમે તમારા વાડામાં ઝેરી સાપને પાળો-પોષો તો એ સાપ પાડોશીના ઘરે જઈને જ દંશ મારે એવું જરૃરી નથી, એ તમને પણ કરડી શકે છે. હિલેરીએ ભારતના સંદર્ભમાં આવી વાત કરી હતી. પાકિસ્તાનના વડાપ્રધાનને એમ છે કે તાલિબાનો આવશે પછી તાલિબાન આતંકવાદીઓ કાશ્મીરમાં કામ લાગશે. તાલિબાનોને અત્યારે અફ્ઘાનિસ્તાન પર કબજો કરવો છે એટલે પાકિસ્તાનને હજુયે મહત્ત્વ આપે છે. તાલિબાનોની ગરજ જેવી સરી જશે કે તરત જ એનું પોત પ્રકાશવાનું છે. અફ્ઘાનિસ્તાનમાં તાલિબાનો કંદહાર અને કાબુલની નજીક પહોંચી ગયા છે. કંદહાર વિશે એવી વાતો આવી રહી છે કે, કંદહારમાં પ્રવેશતા તમામ રસ્તાઓ તાલિબાનોના કબજામાં છે. હવાઇમાર્ગ સિવાય કોઇ કંદહાર જઇ શકતું નથી. અફ્ઘાનિસ્તાન ગૃહયુદ્ધની કગાર પણ આવીને ઊભું છે. પાકિસ્તાન અને ચીન પોતાનો સ્વાર્થ સાધવા માટે રમત રમી રહ્યા છે. એ લોકોને ખબર નથી કે, ખરાબ લોકોને મદદ કરવાનું પરિણામ ક્યારેય સારું હોતું નથી!
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
TRENDING NOW
36188 Views
32776 Views
29576 Views
25288 Views
ChinaBangladeshUnited-statesIndiaPakistanChineseImaan-khanIndian-armyPakistan-armyPakistan-gallePakistan-indiaVice-president-pakistan-image