મહામારીથ

મહામારીથી પ્રભાવિત બાળકોની સંભાળ કઈ રીતે લઈ શકાય?
Share
ઓવર વ્યૂ
વિશ્વમાં વસતીને મુદ્દે બીજા સ્થાને રહેલો ભારત દેશ હાલમાં રોગ અને મૃત્યુના અહેવાલો વચ્ચે ઝોલાં ખાઇ રહ્યો છે. કોરોનાના બીજા મોજાએ એ વાયકા કે માન્યતા પણ તોડી પાડી કે કોરોના સંક્રમણ શહેરમાં થતો રોગ છે. કોરોનાના વર્તમાન મોજામાં દેશના ૭૪૧ પૈકી ૫૩૩ જિલ્લા પ્રભાવિત થયા હતા. બીજા મોજાએ એ માન્યતા પણ તોડી નાખી કે બાળકોનો કોઇક રીતે કોરોનાથી બચાવ થાય છે. બીજા મોજા દરમિયાન દેશભરમાં બાળકો સંક્રમિત થયાંના સંખ્યાબંધ કેસ નોંધાયા હતા. દેશમાં બાળકો સંક્રમિત થયાં હોવાના અહેવાલોના વર્ણન સામે આંખ આડા કાન કરવા પોસાય તેમ નથી. સંભવિત ત્રીજું મોજું મોટા વિલંબ પછી ૧૮ વર્ષથી નાની વયનાં બાળકો સહિત મોટી વસતીને સંક્રમિત કરી શકે છે. તેથી સંક્રમણને અટકાવવાનાં આગોતરાં પગલાં નહીં લેવાય તો લાખો બાળકો પર સંક્રમણનું જોખમ તોળાઇ રહ્યું છે.
અઝીમ પ્રેમજી યુનિવર્સિટી દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસ મુજબ મહામારીના પ્રથમ મોજાએ દેશના અંદાજે ૭.૫ કરોડ લોકોને ગરીબીમાં (દૈનિક બે ડોલરથી ઓછી આવક) ધકેલી દીધા છે. વિશ્વભરમાં વધેલી ગરીબી પૈકી ૬૦ ટકા ગરીબી આમ ભારતમાં વધી છે. ભારતમાં ૨૩ કરોડ લોકો સરકાર દ્વારા નિયુક્ત સમિતિ દ્વારા નક્કી થયા મુજબના લઘુતમ વેતન અર્થાત દૈનિક રૂપિયા ૩૭૫ (પ્રતિદિન પાંચ ડોલર)ની જ આવક ધરાવે છે.
ઇન્ડિયા ડેવલપમેન્ટ રિવ્યૂના અહેવાલમાં જણાવ્યા મુજબ કોવિડ -૧૯ના સંદર્ભમાં જે ૧૫૯ સંગઠનોનો સર્વે થયો તે પૈકી ૭૧ ટકા સંગઠનનું કહેવું છે કે તેઓ જે સમુદાયો માટે કામ કરી રહ્યાં છે તે સમુદાયની સૌથી મોટી જરૂરિયાત આહાર અને રાશન સામગ્રી છે. અડધાં જેટલાં સંગઠનોએ વેક્સિન જાગૃતિ અને રસીકરણને ટેકો આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, તો ૨૯ જેટલાં સંગઠનોએ ઓક્સિજન અને દવાઓના પુરવઠા માટે ભંડોળની માગણી કરી હતી. તેથી દેખીતું છે કે જે લોકો ગરીબીમાં જીવી રહ્યાં છે તે લોકોને ખાવા માટે ભોજન અને અસ્તિત્વ ટકાવી રાખવા રોકડની જરૂર છે તે સ્પષ્ટ છે. મહામારીના પ્રથમ મોજાએ જ લાખો લોકો અને ખાસ કરીને પ્રવાસી શ્રમિકોને આર્થિક રીતે પ્રભાવિત કયાંર્ છે અને તેને પરિણામે બાળકો પર પડેલો પ્રભાવ અકલ્પનીય છે.
મહામારીના પ્રથમ મોજામાં બાળકો સંક્રમણથી પ્રભાવિત નહોતાં થયાં તે વાત સાચી, પરંતુ બીજા મોજા દરમિયાન બાળકો પણ સંક્રમણનો ભોગ બન્યાં હતાં. ૧૮ વર્ષથી નીચેની વયજૂથ માટેની રસીકરણ યોજના પણ હજી અસ્પષ્ટ છે, કારણ કે આ વયજૂથ માટેની વેક્સિનની તો હજી અજમાયશ ચાલી રહી છે. કોરોના મહામારીના પ્રથમ મોજાને મુકાબલે બીજા મોજાએ આરોગ્ય, સામાજિક સુરક્ષા અને શૈક્ષણિક સેવાઓના અભાવ વચ્ચે બાળકોને વધુ પ્રભાવિત કયાંર્. જો ત્રીજું મોજું આવશે તો બીજા મોજામાં બન્યું હતું તેમ તબીબી સિસ્ટમ ખોરવાઇ જવાની ઘટનાનું પુનરાવર્તન પણ થઇ શકે છે. સિસ્ટમને ભાવિ પડકારોને પહોંચી વળે તેવી સક્ષમ બનાવવામાં નહીં આવે તો ખાસ કરીને બાળકોના કિસ્સામાં સ્થિતિ તેનાથી પણ વણસી શકે છે.
મહામારીની બાળકો પર પડેલી અસરો અંગે યુનિસેફે આપેલા અહેવાલમાં જણાવ્યા મુજબ સૌથી મોટી અસર બાળકોનાં શિક્ષણ પર પડી હતી. ૧૫ લાખ શાળાઓ બંધ થઇ ગઇ હતી અને તેથી ભારતના ૨૪.૭ કરોડ બાળકો પ્રભાવિત થયાં હતાં. શાળા બંધ એટલે બાળકો શોષણનો ભોગ બનવાની વધુ સંભાવના. શાળાઓ બંધ રહેતાં બાળમજૂરીમાં તેમને જોતરી દેવાનું વધી શકે છે. શાળાઓ બંધ થતાં લાખો કિશોરીઓએ માધ્યમિક શિક્ષણ મેળવવાનું ત્યજી દીધું. આવી કિશોરીઓ વહેલાં લગ્ન થવાનાં, વહેલાં સગર્ભા થવાનાં, ટ્રાફિકિંગના ભોગ બનવાનાં કે પછી હિંસાનો ભોગ બનવાનાં જોખમનો સામનો કરવા લાગી. શાળાઓ બંધ રહેવાનો બીજો અર્થ એ કે ૧૨ કરોડ જેટલાં બાળકોને મધ્યાહ્ન ભોજન યોજના થકી પૌષ્ટિક ભોજન ના મળ્યું. ૧૧.૫ કરોડ બાળકો કુપોષણનાં જોખમનો સામનો કરવા લાગ્યાં. ભારતમાં પાંચ વર્ષથી નાની ઉંમરનાં બાળકોમાં કુપોષણનાં પ્રમાણની સ્થિતિ ખૂબ જ બિહામણી છે.
આટલું જ નહીં બાળકો માનસિક આરોગ્યના પ્રશ્નોનો પણ સામનો કરવા લાગ્યાં, કારણ કે લોકડાઉને આ બાળકોને તેમને ટેકો આપતા નેટવર્કથી વંચિત કરી દીધાં. પ્રથમ મોજા દરમિયાન તો જે બાળકોએ તેમનાં વાલી ગુમાવ્યાં હોય તે સંખ્યા કદાચ ઓછી રહી. પરંતુ બીજા મોજા દરમિયાન ૩૦ થી ૪૦ વર્ષની વયજૂથના લોકોનાં મૃત્યુનું પ્રમાણ ઊંચંુ રહેતાં વાલીઓ ગુમાવી ચૂકેલાં બાળકોની સંખ્યા પણ વધી. કેટલાંક બાળકોએ પોતાની માતા કે પિતા કે પછી બંને ગુમાવી દીધાં. બાળકોની સંભાળ લેનારીએ જ વિદાય લેતાં બાળકો અનેક ગેરકાયદે પ્રવૃત્તિનો ભોગ બને તેની સંભાવના વધી ગઇ. જે બાળકો અનાથ બન્યાં તેના કુટુંબીજનો દ્વારા આવાં અનાથ બની ગયેલાં બાળકોને દત્તક લેવા ઇન્ટરનેટ પર અપીલો થવા લાગી. આ બાબતે બાળકોનાં શોષણની સંભાવનાને વધારી દીધી. બીજા મોજાનો સામનો કરીને બહાર આવ્યા પછી હવે સરકાર અને નાગરિક સંગઠનો વચ્ચે મજબૂત તાલમેલ હશે તો જ આવાં અનાથ બાળકો માટેની કામગીરી સફળ થઇ શકે તેમ છે. અનેક બાળકો પોતાનાં માતા-પિતા ગુમાવી ચૂક્યાં છે તેવામાં આવાં બાળકોનાં પાલનપોષણ માટે સરકાર દ્વારા રોકડ સહાય આપવામાં આવે અને તે પછી પણ આ બાળકોની સંભાળ લેવામાં આવે છે કે કેમ તે બાબત પર નજર રાખવામાં આવે તો જ અનાથ બાળકોની સંભાળ સંભવ બને તેમ છે. જિલ્લા બાળકલ્યાણ સમિતિઓ તે કામગીરી કરી શકે તેમ છે. નાગરિક સંગઠનો પણ આવાં બાળકોને માનસિક ટેકો આપીને તેમની સંભાળ લેવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી શકે છે. હવે બાળસંભાળનું જે કામ સામે પડેલું છે તેને પાર પાડવું હોય તો વાલી, બાળકોની સંભાળ લેનારા અને ર્ધાિમક નેતૃત્વ પોતાના માનસનાં વલણો બદલે તે પણ જરૂરી છે. શાળા સંચાલન સમિતિ, જિલ્લા બાળકલ્યાણ સમિતિઓ અને સ્થાનિક પંચાયતો સહિતનાં માળખાને બાળકોનાં કલ્યાણ માટેની પ્રવૃત્તિ માટે સક્ષમ કરવાની જરૂર છે.
સંગઠનો સરકાર દ્વારા અમલી બાળકલ્યાણની યોજનાની ઓળખ કરીને બાળક અને સિસ્ટમ વચ્ચેની ખાઇ પૂરવામાં મદદરૂપ થઇ શકે. સરકાર પણ બાળકોનાં માનસ અને જીવન પર પડેલા ઘા ભરવાના આ કામ તેમજ બાળક અને સિસ્ટમ વચ્ચે સેતુરૂપ ભૂમિકા અદા કરવાના આ સંગઠનોના અનુભવ અને ક્ષમતાને પિછાણે તે જરૂરી છે. મહામારીનો સામનો કરવા માટે પારસ્પરિક વિશ્વાસ અને જવાબદેહિતા સાથે ઊભું થયેલું માળખંુ જરૂરી છે. ભારતમાં મહામારીના ઉદ્ભવ માટે ભલે પ્રત્યેક વ્યક્તિને જવાબદાર ના ઠેરવી શકાય, પરંતુ મહામારીનો અંત આવે તે તો બધાની જવાબદારી છે જ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
TRENDING NOW
57916
Views
37172
Views
35316
Views
32876
Views
Related Keywords
India, , School Admin Committee, Azim Premji University, India Development, Ii Health, India Country, Out District, Secondary Education Recovery, Her Guardian, India Source, இந்தியா, அஸிம் ப்ரேம்ஜி பல்கலைக்கழகம், இந்தியா வளர்ச்சி, இந்தியா நாடு, இந்தியா மூல,