vimarsana.com


Isn't The Rising 'R' Value Indicating A Third Wave Of The Corona Somewhere: Find Out What The Corona's R Factor Is
ભાસ્કર એક્સપ્લેનર:શું વધતી 'R' વેલ્યુ ક્યાંક કોરોનાની ત્રીજી લહેરનો સંકેત તો નથી ને: જાણો શું હોય છે કોરોનાનું R ફેક્ટર
2 કલાક પહેલા
કૉપી લિંક
નિષ્ણાતો કહે છે કે ફક્ત લોકડાઉન અને કડક પ્રતિબંધો દ્વારા જ R વેલ્યુને નિયંત્રણમાં રાખી શકાય છે
ભીડવાળા વિસ્તારોમાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું સખત રીતે પાલન કરાવવામાં આવે
કેન્દ્રીય ગૃહમંત્રાલયે બે દિવસ પહેલાં તમામ રાજ્યોને કોવિડ-19ના વધતા 'R' ફેક્ટર વિશે અલર્ટ કરી દીધા છે. કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ રાજ્યોને મોકલેલા એક પત્રમાં લખ્યું છે કે તમને ખબર જ હશે કે R ફેક્ટરનું 1.0 કરતાં વધારે હોવું એ કોવિડ-19ના વધતા જતા કેસનો સંકેત છે, તેથી જ અધિકારીઓ સજાગ બને એ ખૂબ જ જરૂરી છે અને ભીડવાળાવિસ્તારોમાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને અન્ય કોવિડ -19 નિવારક પગલાંને સખત રીતે પાલન કરાવવામાં આવે.
પરંતુ છેવટે આ 'R' ફેકટર શું છે, જેના વિશે સરકાર આટલી ચિંતિત નજરે પડી રહી છે? એના વધારાને કારણે લોકડાઉન થવાનું જોખમ કેમ વધી રહ્યું છે? આ સમયે R ફેક્ટર શું છે અને એ કેવી રીતે કેસમાં વધારો થવાનો સંકેત સૂચવે છે?
R વેલ્યુ દ્વારા કેવી રીતે વધે છે કેસ?
ડેટા સાયન્ટિસ્ટ્સ અનુસાર, R ફેકટર એટલે કે રિપ્રોડકશન રેટ. એ જણાવે છે કે એક સંક્રમિત વ્યક્તિ દ્વારા કેટલા લોકો સંક્રમિત થઈ રહ્યા છે અથવા થઈ શકે છે. જો R ફેકટર 1.0 કરતાં વધારે હોય તો એનો મતલબ કે કેસ વધી રહ્યા છે, જ્યારે R ફેકટર 1.0 કરતાં ઓછો હોવું અથવા ઘટતું જવું એ ઘટતા કેસના સંકેત છે.
એ વાત પરથી પણ સમજી શકાય છે કે જો 100 લોકો સંક્રમિત છે. તે 100 લોકોને સંક્રમણ લગાવે છે તો R વેલ્યુ 1 થશે, પરંતુ જો એ 80 લોકોને સંક્રમણ લગાવી રહ્યો છે, તો પછી આ R વેલ્યુ 0.80 થશે.
હાલમાં ભારતમાં R વેલ્યુની સ્થિતિ શું છે?
ચેન્નઈના ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેથેમેટિકલ સાયન્સિસ (IMSc)ના એક અભ્યાસ અનુસાર, દેશમાં હાલ R ફેકટર 1.0 કરતાં ઓછું છે છતાં કેટલાંક રાજ્યોમાં એ ઝડપથી વધી રહ્યો છે. સમગ્ર ભારતમાં મે મહિનાના મધ્યમાં R ફેકટર 0.78 હતું, એટલે કે 100 લોકો ફક્ત 78 લોકોને સંક્રમણ લગાડી રહ્યા હતા, પરંતુ જૂનના અંતમાં અને જુલાઈના પહેલા અઠવાડિયામાં R વેલ્યુ 0.88 થઈ ગઈ છે, એટલે કે 100 લોકો 88 લોકોને સંક્રમણ લગાવી રહ્યા છે.
IMScના એક અભ્યાસ અનુસાર, દેશમાં હાલ R ફેકટર 1.0 કરતાં ઓછું છે છતાં કેટલાંક રાજ્યોમાં એ ઝડપથી વધી રહી છે.
આ અધ્યયન મુજબ, 9 માર્ચથી 21 એપ્રિલની વચ્ચે R વેલ્યુ 1.37 હતી. આ કારણોસર, આ સમય દરમિયાન કેસો ઝડપથી વધી રહ્યા હતા અને બીજી લહેર એની પીક તરફ આગળ વધી રહી હતી. 24 એપ્રિલથી 1 મેની વચ્ચે R વેલ્યુ 1.18 હતી અને એ પછી 29 એપ્રિલથી 7 મેની વચ્ચે 1.10 પર આવી ગઈ. ત્યાર બાદ R વેલ્યુ સતત ઘટી રહી છે. પરિણામે, કેસ પણ ઘટતા ગયા.
કયાં રાજ્યોમાં R વેલ્યુ ભયજનક રીતે વધી રહી છે?
રિસર્ચર્સની ટીમનું નેતૃત્વ કરી રહેલા સીતાભ્રા સિંહાએ દાવો કર્યો છે કે ભારતમાં R વેલ્યુ 1 કરતાં ઓછી છે, પરંતુ સક્રિય કેસની સંખ્યામાં ઘટાડો થવાની ગતિ ધીમી પડી ગઈ છે. આનું કારણ એ છે કે ઉત્તરપૂર્વનાં કેટલાંક રાજ્યો અને કેરળમાં વધેલી R વેલ્યુ છે.
સિંહા કહે છે, R વેલ્યુ જેટલી ઓછી થશે, નવા કેસોની સંખ્યા જેટલી ઝડપથી ઘટશે. એ જ રીતે જો R વેલ્યુ 1.0 કરતાં વધારે હશે, તો પછી દરેક રાઉન્ડમાં સંક્રમિત લોકોની સંખ્યામાં વધારો થતો જશે. ટેક્નિકલી રીતે તેને એપિડેમિકનો તબક્કો કહેવામાં આવે છે.
R વેલ્યુથી એક્ટિવ કેસમાં કેટલું અંતર આવે છે?
​​​​​​તેઓ કહે છે, 9 મે પછી R વેલ્યુમાં ઘટાડો થયો છે. 15 મે અને 26 જૂનની વચ્ચે એ ઘટીને 0.78 પર આવી ગઈ હતી, પરંતુ 20 જૂન પછી એ વધીને 0.88 થઈ. જ્યાં સુધી R વેલ્યુ 1.0ની પાર નહીં જાય ત્યાં સુધી કેસો ખૂબ ઝડપથી વધશે નહીં, પરંતુ આ વેલ્યુમાં વધારો થવો એ ચિંતાજનક છે.
તેમણે એક ઉદાહરણ આપીને સમજાવ્યું કે જો R વેલ્યુ 0.78 ટકા જાળવવામાં આવે તો 27 જુલાઈ સુધીમાં એક્ટિવ કેસ 1.5 લાખ કરતાં પણ ઓછા થઈ જશે, પરંતુ હવે R વેલ્યુ વધીને 0.88 થઈ છે અને એમાં કોઈ બદલાવ નહીં આવે, તો 27 જુલાઈએ એક્ટિવ કેસ 3 લાખની આસપાસ રહેશે, એટલે કે R વેલ્યુમાં 0.1 નું અંતરથી બે અઠવાડિયાંમાં એક્ટિવ કેસની સંખ્યાને બમણી કરી શકે છે.
કયાં રાજ્યોમાં R વેલ્યુમાં વધારો થયો છે?
મહારાષ્ટ્રમાં એક્ટિવ કેસની સંખ્યા 16 જુલાઈએ ઘટીને 1.07 લાખ થઈ ગઈ, પરંતુ ચિંતાજનક બાબત એ છે કે 30 મેના રોજ રાજ્યની R વેલ્યુ 0.84 હતીં, જે જૂનના અંતમાં 0.89 પર પહોંચી ગઈ હતી. આ દરમિયાન મહારાષ્ટ્રમાં કેસ ઝડપથી વધી ગયા.
કેરળની વાત કરીએ તો ત્યાં 1.19 લાખ એક્ટિવ કેસ છે. આ મહિનાની શરૂઆતમાં અહીંની R વેલ્યુ 1.10 પર પહોંચી ગઈ હતી. આ જ કારણ છે કે રિકવર થનારા કેસોની તુલનામાં સંક્રમણના નવા કેસો ઝડપથી વધ્યા છે. મહારાષ્ટ્ર અને કેરળની વાત કરીએ તો હાલમાં આ બંને રાજ્યમાં દેશમાં 50%થી વધુ એક્ટિવ કેસ છે.
અભ્યાસ મુજબ, મણિપુરમાં R વેલ્યુ 1.07 છે, જ્યારે મેઘાલયમાં 0.92, ત્રિપુરામાં 1.15, મિઝોરમમાં 0.86, અરુણાચલ પ્રદેશમાં 1.14, સિક્કિમમાં 0.88 અને આસામમાં 0.86 છે, એટલે કે આ રાજ્યોમાં કેસમાં ગયા મહિનાના ઘટાડા પછી ફરી વેગ પકડવાનું શરૂ થયું છે.
શું વધતી R વેલ્યુ લોકડાઉન લાવી શકે છે?
હા. ચોક્કસપણે. જો R વેલ્યુ વધવાનું ચાલુ રાખે છે અને લગભગ 1.0ની ઉપર પહોંચે છે, તો લોકડાઉન ફરીથી લાદવામાં આવી શકે છે. આ એક એવી ફોર્મ્યુલા છે, જેને કેન્દ્ર અને રાજ્ય સરકારો અનુસરી રહી છે. આ સમયે તેમનું ધ્યાન પોઝિટિવિટી રેટ પર છે.
નિષ્ણાતો કહે છે કે ફક્ત લોકડાઉન અને કડક પ્રતિબંધો દ્વારા R વેલ્યુને નિયંત્રણમાં રાખી શકાય છે. જો લોકો બહાર ન આવે તો સંક્રમિત વ્યક્તિ અન્ય લોકોને સંક્રમણ લગાવી શકશે નહીં. મે મહિનામાં પણ R વેલ્યુ ઓછી હોવાનું મોટું કારણ લોકડાઉન જ હતું. પછી બીજી લહેર પણ ઘટવા માંડી હતી.
અન્ય સમાચારો પણ છે...

Related Keywords

India ,Arunachal ,Assam ,Statese Kerala ,Central Ministry Of Home Affairs ,Central Ministry ,Home Affairs ,Secretary Ajay States Sent ,India May ,March April ,July By Active ,State Country ,Arunachal Region ,இந்தியா ,அருணாச்சல் ,அசாம் ,மைய அமைச்சகம் ஆஃப் வீடு வாழ்க்கைத்தொழில்கள் ,மைய அமைச்சகம் ,வீடு வாழ்க்கைத்தொழில்கள் ,இந்தியா இருக்கலாம் ,அணிவகுப்பு ஏப்ரல் ,நிலை நாடு ,

© 2025 Vimarsana

vimarsana.com © 2020. All Rights Reserved.