Share
ટોકિયો ખાતે જુલાઈ, ૨૦૨૧માં યોજાનાર ઓલિમ્પિક ૨૦૨૦માં ભાગ લેનાર ગુજરાતના ૬ ખેલાડીઓના માતા- પિતાનું સંસ્કારધામમાં સન્માન કરાયું હતું. સંસ્કારધામની પૂર્વ વિર્દ્યાિથની એલાવેનિલ વલારિવન (શૂટિંગ ચેમ્પિયન), પારુલ પરમાર (પેરા બેડમિંગ્ટન ચેમ્પિયન), ભાવના પટેલ ટેબલ (પેરા ટેનિસ ચેમ્પિયન), સોનલ પટેલ (પેરા ટેબલ ટેનિસ ચેમ્પિયન), અંકિતા રૈના (ટેનિસ ખેલાડી ચેમ્પિયન), માના પટેલ (સ્વીમિંગ ચેમ્પિયન)નાં માતા-પિતાના સન્માન સમારોહનું આયોજન કરાયું હતું.
શાળાના વાઈસ પ્રેસિડેન્ટ મહેન્દ્ર ભટ્ટ દ્વારા એલાવેનિલ વલારિવન અને અંકિતા રૈનાના માતા-પિતાનું શાલ ઓઢાડી અને મેમેન્ટો આપીને જ્યારે અન્ય ખેલાડીઓના માતા- પિતાનું વર્ચ્યુઅલ સન્માન કરવામાં આવ્યું હતું.
ઓલિમ્પિક ગેમ્સ- ટોકિયો, ૨૦૨૦માં ભાગ લેનાર ભારતીય ખેલાડીઓની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ મીટિંગ કરીને તેમને પ્રોત્સાહિત કરીને શુભેચ્છા પાઠવી હતી.
આ સમગ્ર સન્માન સમારોહનું જીવંત પ્રસારણ શાળાના વંદના હોલમાં કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહ કાર્યક્રમાં ટ્રસ્ટીઓ,આચાર્યગણ, સ્ટાફ વિદ્યાર્થીઓ, વાલીઓએ હાજરી આપી હતી.ઔ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
Related Articles
July 14, 2021