Latest Breaking News On - Monk saints - Page 1 : vimarsana.com
Today, Lord Jagannath's Sonavesh Will Be Seen, All The Three Chariots Will Be Worshiped In The Temple. In The Evening, Chief Minister Will Participate In Sandhya Aarti.
રથયાત્રા મહોત્સવ:જગન્નાથ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટયુ,ધક્કામૂકી થતા ભીડ બેકાબુ બની, રથ પૂજન માટે ખલાસી ભાઈઓ રથ ખેંચીને મંદિર પરિસરમાં લાવ્યા
અમદાવાદ4 કલાક પહેલા
કૉપી લિંક
હાથી ઘોડા પાલખી જય કન્હૈયા લાલકીનો નાદ મંદિર પરિસરમાં ગુંજી ઉઠ્યો
મંદિરના મહંત દિલીપદાસજી તથા ટ્રસ્ટી મહેન્દ્ર ઝા દ્વારા ત્રણેય રથનું પરંપરાગત રીતે પૂજન કરવામાં આવશે
જગન્નાથ મંદિરમાં ઉમટ્યું ભગવાનના દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપુર છે.મંદિર પરિસરમાં ગજરાજની પૂજન વિધિ સંપન્ન થઈ છે.હવે મંદિરમાં રથપૂજનની વિધિ શરૂ થવા જઈ રહી છે. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીના રથ મંદિર પરિસરમાં લાવવામાં આવ્યા છે. તમામ ખલાસી ભાઈઓ બહારથી રથ ખેંચી અને મંદિર પરિસરમાં લાવ્યા હતા.રથયાત્રા પહેલા જ રથ ખેંચી અને મંદિરમાં લાવતા ખલાસી ભાઈઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે કે આ વર્ષે રથ ખેંચી અને ભગવાનને નગરચર્યા કરાવશે.
ભગવાનના દર્શન માટે ભક્તોની ભીડ બેકાબુ બની
મંદિર પરિસરમાં ગજરાજનું પૂજન કરવામા આવ્યું
મંદિર પરિસરમાં ગજરાજનું પૂજન કરાયું
ભગવાન જગન્નાથના સોનાવેશના દર્શન કરવા માટે મંદિર પરિસરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. કોરોનાના નિયમોના ધજાગરા ઉડાવીને લોકો ભગવાનના દર્શનની એક ઝલક જોવા માટે ઘક્કા મુક્કી કરી રહ્યાં છે. મંદિરના પ્રાંગણમાં 11 હાથી અને 3 નાના હાથી લાવવામાં આવ્યા છે. ભક્તો ગજરાજના દર્શન કરી અને સેલ્ફી લઈ રહ્યાં છે. સોનાવેશ બાદ મંદિરના પ્રાગણમાં ગજરાજોની પૂજા કરવામાં આવી હતી. મંદિરના મહંત દિલીપદાસજી અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝા તેમજ યજમાનોએ ગજરાજની પૂજા કરી હતી.
મુસ્લિમ બિરાદરોએ ભગવાન જગન્નાથને ચાંદીનો રથ અર્પણ કર્યો
મુસ્લિમ સમાજે ભગવાનને ચાંદીનો રથ અર્પણ કર્યો
રથયાત્રાના આગળના દિવસે અમદાવાદના મુસ્લિમ બિરાદરોએ કોમી એકતાના દર્શન કરાવ્યા હતાં. સતત 21 વર્ષથી મુસ્લિમ સમાજ દ્વારા ભગવાન જગન્નાથને ચાંદીનો રથ અર્પણ કરવામાં આવે છે. જે આ વર્ષે પણ પરંપરાગત રીતે અર્પણ કરવામાં આવ્યો છે. આજે મુસ્લિમ સમાજના આગેવાન રઉફ શેખ બંગાળી દ્વારા ચાંદીનો રથ અર્પણ કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી સંધ્યા આરતીમાં ભાગ લેશે
તે ઉપરાંત મુખ્યમંત્રી રૂપાણી આજે સાંજે 6.30 વાગ્યે જમાલપુર મંદિરમાં ભગવાન જગન્નાથની સંધ્યા આરતીમાં ભાગ લેશે. તેમજ રથયાત્રાની તૈયારીઓની સમીક્ષા કરશે. આ વર્ષે 144મી રથયાત્રા કોરોનાના નિયંત્રણના નિયમોના અનુપાલન સાથે યોજાવાની છે. ત્યારે મુખ્યમંત્રી રૂપાણી આ રથયાત્રાની પૂર્વ તૈયારીઓ અંગે મંદિરના ટ્રસ્ટીઓ તથા પોલીસ તંત્ર અને અમદાવાદ મહાનગરપાલિકા તેમજ વહિવટી તંત્રના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજશે.
મંદિરમાં નેત્રોત્સવ અને ધ્વજા રોહણ વિધિ યોજાઈ
અમાસના દિવસે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી મોસાળ સરસપુરથી નિજ મંદિર પરત ફર્યાં હતાં.ભક્તોની ભારે ભીડ વચ્ચે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ નેત્રોત્સવ અને ધ્વજા રોહણ વિધિમાં ભાગ લીધો હતો.જય રણછોડ માખણ ચોર,મંદિરમાં કોણ છે રાજા રણછોડ છે,હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલ કી ના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું હતું. જગન્નાથ મંદિરમાં સાધુ સંતોનો ભંડારો શરૂ થયો હતો. દર્શન કરવા આવેલા લોકોએ પણ કાળી રોટી અને ધોળી દાળનો પ્રસાદ લીધો હતો.ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ તમામ સાધુ સંતોને ધોતી અર્પણ કરી હતી.
ભાજપના પ્રમુખ પાટીલ અને ગૃહમંત્રી પ્રદિપસિંહે નેત્રોત્સવ અને ધ્વજારોહણ વિધિમાં ભાગ લીધો હતો
શનિવારે મંદિરમાં સાધુ-સંતોનો ભંડારો યોજાયો
શનિવારે ભગવાન જગન્નાથ નિજમંદિર પરત ફરતાં ઉત્સવ અને આનંદનો ઉત્સાહ મંદિરે જોવા મળ્યો હતો. મંદિરમાં સાધુ-સંતોનો ભંડારો યોજાયો હતો. 1000 જેટલા લોકોનો ભંડારો યોજવામાં આવ્યો હતો. વહેલી સવારથી ભંડારાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. ભંડારામાં કાળી રોટી(માલપૂઆ) અને ધોળી દાળ (દૂધપાક)નો પ્રસાદ આપવામાં આવ્યો હતો. સવારથી મંદિરના રસોડામાં 500 લિટર દૂધનો દૂધપાક બનાવવામા આવ્યો. ચણાનું શાક, પૂરી અને માલપૂઆ બનાવવામાં આવ્યા હતાં. 1000થી વધુ સાધુ-સંતો ભગવાનના ભંડારામાં પ્રસાદનો લાભ લીધો હતો.
શનિવારે મંદિર પરિસર જય રણછોડ માખણચોરના નાદથી ગુંજી ઉઠ્યું હતું
રાજ્ય બહારથી આવતા સાધુ-સંતો ભાગ નહીં લઈ શકે
દર વર્ષે રથયાત્રામાં ભાગ લેવા દેશભરના સાધુ-સંતો આવે છે. 2 દિવસ અગાઉ રથયાત્રા માટે સાધુ-સંતો આવી જતા હોય છે અને મંદિરમાં થતા ભંડારામાં ભાગ લઈને રથયાત્રા સુધી રોકાય છે. પરંતુ આ વર્ષે કોઈ પણ સાધુ-સંત રથયાત્રામાં ભાગ નહીં લઈ શકે. શનિવારે સરસપુર ખાતેના ભગવાનના જૂના મોસાળ વાસણ શેરી ખાતે અનેક સાધુ-સંતો આવ્યા હતા અને ભંડારામાં આવીને મંદિર ફર્યા હતા, જે બાદ મંદિરથી પરત જશે.
અન્ય સમાચારો પણ છે...
AhmedabadGujaratIndiaTemple-mahantPradipsinh-jadejaMonday-ahmedabadGod-jagannathTemple-monk-startMinister-pradipsinh-jadejaMonk-saintsSaturday-temple-place-god-jagannath Share
અષાઢી બીજે નીકળતી રથયાત્રાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આવતીકાલે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે. તે પહેલા અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથના સોનાવેશના દર્શન થયા છે. આજે મંદિરમાં ઉત્સાહ જેવો માહોલ છે. વર્ષમાં એકવાર ભગવાનને સોનાવેશ પહેરાવવામાં આવે છે. સોનાવેશના યજમાનો અને ભક્તો આજે ભગવાનના સોનાવેશના દર્શન કરી શકશે. આજે ત્રણેય રથને મંદિર પરિસરમાં લાવવામાં આવશે અને મંદિરના મહંત દિલીપદાસજી તથા ટ્રસ્ટી મહેન્દ્ર ઝા દ્વારા રથનું પરંપરાગત રીતે પૂજન કરવામાં આવશે.
વર્ષમાં એક વાર ભગવાન જગન્નાથજીને સોનાનો શણગાર કરવામાં આવે છે. આ ઉપરાંત ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના રથની પૂજનવિધિ પણ કરવામાં આવશે. ભગવાનના સોનાવેશના દર્શન બાદ હવે સવારે 10 કલાકે ગજરાજોનું પૂજન કરવામાં આવશે અને બપોરે 2 વાગ્યે ત્રણેય રથની પ્રતિષ્ઠાવિધિ અને પૂજનવિધિ કરવામાં આવશે. તેમજ બપોરે 3 વાગ્યે વિપક્ષના નેતાઓ પણ ત્રણેય રથોનું પૂજન કરશે.
ત્યારબાદ ત્રણેય રથોની પૂજનવિધિ બાદ સાંજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જગન્નાથ મંદિર પહોંચશે. રાત્રિના 8 વાગ્યે ભગવાન જગન્નાથ મંદિરે મહાઆરતી કરવામાં આવશે અને કાલે સવારે કોરોના ગાઈડલાઈનના પાલન સાથે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળશે. ભગવાન જગન્નાથની 144મી રથયાત્રાના રથને શણગારવા માટે પીળાં ફૂલો પણ તૈયાર કરવામાં આવ્યા છે.
મંદિરમાં નેત્રોત્સવ અને ધ્વજા રોહણ વિધિ યોજાઈ
અમાસના દિવસે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી મોસાળ સરસપુરથી નિજ મંદિર પરત ફર્યાં હતાં.ભક્તોની ભારે ભીડ વચ્ચે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ નેત્રોત્સવ અને ધ્વજા રોહણ વિધિમાં ભાગ લીધો હતો.જય રણછોડ માખણ ચોર,મંદિરમાં કોણ છે રાજા રણછોડ છે,હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલ કી ના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું હતું. જગન્નાથ મંદિરમાં સાધુ સંતોનો ભંડારો શરૂ થયો હતો. દર્શન કરવા આવેલા લોકોએ પણ કાળી રોટી અને ધોળી દાળનો પ્રસાદ લીધો હતો.ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ તમામ સાધુ સંતોને ધોતી અર્પણ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
Photo Gallery
AhmedabadGujaratIndiaNitin-patel-jagannath-templeTemple-mahantPradipsinh-jadejaJagannath-templeCountdown-startGod-jagannathGod-goldPatel-jagannath-temple Share
ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાને રાજ્ય સરકારે શરતી મંજૂરી આપી દીધી છે. હવે કોવિડ ગાઇડલાઇનના નિયમો અને ભક્તો વગરની રથયાત્રાની પરવાનગી રાજ્ય સરકારે આપી છે. આજે જમાલપુર સ્થિત મંદિરમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની નેત્રોત્સવ વિધિ કરવામાં આવી રહી છે. ભગવાન જગન્નાથજીના મંદિર અને પ્રસાદ વિશે અનેક માન્યતા અને મહત્વ ધરા છે. આજે અમે તમને તેમના માલપુઆની પ્રસાદી વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
જગન્નાથ મંદિરમાંવર્ષોથી જગન્નાથ મંદિરમાં માલપુવા, ગાંઠિયા અને બુંદીની પ્રસાદી આપવામાં આવે છે. પરંતુ શું તમારા મનમાં એક સવાલ ઉદભવતો હશે કે નિજ મંદરે માલપુઆની પ્રસાદી કેમ આપવામાં આવે છે તે આજે અમે તમને જણાવી રહ્યા છીએ.
Photo Gallery
અમદાવાદમાં પ્રભુ જગન્નાથજીના ધામમાં ભક્તોને કાળી રોટી-ધોળી દાળનો પ્રસાદ આપવામાં આવે છે. વર્ષોથી ચાલી આવતી પરંપરાને આજે પણ નિજ મંદિરમાં નિભાવી રહ્યા છે. જગન્નાથ મંદિરના મહંત નરસિંહદાજીએ કાળી રોટી ધોળી દાળનો પ્રસાદ આપવાની શરૂઆત કરી હતી. જેની પાછળનો મુખ્ય હેતુ ગરીબોને સાત્વિક ભોજન કરાવવાનો હતો. કાળી રોટી એટલે માલપુવા અને ધોળી દાળ એટલે દૂધપાક આજે પણ નિજ મંદિરે આવતા ભક્તોને માલપુઆનો પ્રસાદ આપવામાં આવી રહ્યો છે. ભગવાન જગન્નાથ મંદિરમાં રથયાત્રાની તૈયારીને લઈ ભક્તનો ભારે ભીડ રહે છે. અને મંદિરે આવતા લોકો કાળી રોટી અને ધોળી દાળનો પ્રસાદ આરોગે છે. અને ભક્તોને ઘરે લઈ જવા માટે પણ માલપુઆ, બુંદી અને ગાંઠીયાનો પ્રસાદ આપવામાં આવે છે.
માલપુવા પ્રસાદીની પાછળ પણ એક રોચક કથા છે. અમદાવાદમાં આવેલા ગીતા મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. અને પ્રાણપતિષ્ઠા મહોત્સવમાં દુરદુરથી ભક્તો આવ્યા હતા. તેની જાણ મહંત નરસિંહદાજીને થઈ હતી. આ ભક્તો ભુખ્યા જાય તે નરસિંહદાસને મંજુર ન હતુ અને રસોયાને આજ્ઞા કરી રસોઈ બનાવાની અને એક પણ ભક્ત ભુખ્યો ન જવો જોઈએ. ત્યારે રસોયાએ માલપુવા, બુંદી અને ગાંઠીયા બનાવ્યા અને ભક્તો સુધી પહોચાડવામાં આવ્યા હતા. ત્યારથી લઇ આજે પણ નિજ મંદિરે આવતા ભક્તોને માલપુઆ, ગાંઠીયા અને બુંદીનો પ્રસાદ આપવામાં આવે છે. અને ભક્તો પણ આ પ્રસાદ આરોગી જીવનની ધન્યતા અનુભવે છે.
રથાયત્રામાં ભંડારાનો અનોખો મહિમા હોય છે.
રથાયત્રામાં ભંડારાનો અનોખો મહિમા હોય છે. કાળી રોટી અને ધોળી દાળનો પ્રસાદ લેવા માટે ભક્તો દૂર દૂરથી આવે છે. જોકે આ વખતે સાધુ સંતો માટે જ ભંડારો રાખવામાં આવ્યો છે.. ભંડારાને લઇને અત્યારથી જ તૈયારીઓ હાથ ધરાઇ છે. માલપુડાનો પ્રસાદ તૈયાર થઇ રહ્યો છે.. રથયાત્રાને લઇને અનોખો ઉત્સાહ હોય છે..
આજે ભગવાન જગન્નાથ નિજમંદિર પરત ફરતાં ઉત્સવ અને આનંદનો ઉત્સાહ મંદિરે જોવા મળી રહ્યો છે. આજે મંદિરમાં સાધુ-સંતોનો ભંડારો યોજાવાનો છે. વહેલી સવારથી ભંડારાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભંડારામાં કાળી રોટી(માલપૂઆ) અને ધોળી દાળ (દૂધપાક)નો પ્રસાદ આપવામાં આવે છે. સવારથી મંદિરના રસોડામાં 500 લિટર દૂધનો દૂધપાક બનાવવામા આવ્યો છે. ચણાનું શાક, પૂરી અને માલપૂઆ બનાવવામાં આવી રહ્યાં છે. આજે 100થી વધુ સાધુ-સંતો ભગવાનના ભંડારામાં પ્રસાદનો લાભ લેશે. ઉપરાંત કેટલાક મર્યાદિત લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
Photo Gallery
AhmedabadGujaratIndiaJagannath-templeTemplee-prasadJagannath-temple-mahantLizartzae-prasadA-gita-templeLizartza-prasadGod-statePermission-stateThe fire of jealousy burns a man alive ... so if jealousy turns into a tendency to learn, jealousy will give happiness instead of giving sorrow. | ઇર્ષાની અગ્નિ માણસને જીવતા જ બાળી નાખે છે... એટલે ઇર્ષાને શીખવાની વૃત્તિમાં પલટો તો ઇર્ષા દુ:ખ આપવાને બદલે આનંદ આપશે
divyabhaskar.co.in - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from divyabhaskar.co.in Daily Mail and Mail on Sunday newspapers.
God-releasedLord-viewMonk-saintsGod-swaminarayanGod-vishnuஇறைவன்-விஷ்ணு