Stay updated with breaking news from அடல் பிஹாரி. Get real-time updates on events, politics, business, and more. Visit us for reliable news and exclusive interviews.
'No follow-up results' after meeting with PM Modi: Farooq Abdullah newindianexpress.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from newindianexpress.com Daily Mail and Mail on Sunday newspapers.
કેન્દ્રના મંત્રીમંડળમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ અને પ્રભાવ ઃ અતીત અને આજ Share
ગુજરાતના રાજકારણની વિશિષ્ટતા અને ઉદારતા એ છે કે કેટલાક રાષ્ટ્રીય સ્તરના નેતાઓ ગુજરાતી ન હોવા છતાં ગુજરાતમાંથી ચૂંટાઈને સંસદમાં ગયા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએે કેન્દ્ર સરકારના મંત્રીમંડળનું તાજેતરમાં વિસ્તરણ કર્યું છે. મંત્રીઓની કુલ સંખ્યા ૭૮ની થઈ છે. જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ સહિત ગુજરાતના મંત્રીઓની સંખ્યા ૭ થાય છે. આ વિસ્તરણમાં ઉત્તરપ્રદેશ, પછી ગુજરાતના મંત્રીઓની સંખ્યા વધુ છે. આ સંદર્ભમાં અતીતમાં અવલોકન કરીએ તો ગુજરાતનું સ્થાન ક્યાં હતું, કેવું હતું તેની રસપ્રદ માહિતી પ્રાપ્ત થાય છે. આઝાદી પછીના આરંભના વર્ષોનો અભ્યાસ કરીએ તો કેન્દ્ર સરકારમાં ગુજરાતનો ભારે પ્રભાવ હતો. પ્રથમ લોકસભાના સ્પીકર દાદાસાહેબ માવળંકર હતા. નાયબ વડા પ્રધાનપદે સરદાર વલ્લભભાઈ પટેલ હતા. બંધારણસભાના અધ્યક્ષપદે સરદારના વડીલબંધુ વિઠ્ઠલભાઈ પટેલ હતા. મૂળ હરિયાણાના પણ કાર્યક્ષેત્રે ગુજરાત એવા ગુલઝારીલાલ નંદા ૧૯૫૨ અને ૧૯૫૭માં સાબરકાંઠામાંથી ચૂંટાઈને લોકસભામાં સંસદસભ્ય બન્યા હતા અને ક્રમશઃ ગૃહ, આયોજન, સિંચાઈ, નાણાં ખાતાના પ્રધાન બનેલા. મંત્રીમંડળમાં બીજા નંબરનું સ્થાન ધરાવતા હતા. વડા પ્રધાન નહેરુ વિદેશ પ્રવાસે ગયા તે દરમિયાન બે વાર કાર્યકારી વડા પ્રધાન પણ બન્યા હતા. * મોરારજીભાઈ દેસાઈ ૧૯૭૭માં વડા પ્રધાન બન્યા તે પહેલાં કેન્દ્રમાં ૧૯૫૬થી ૧૯૬૯ના સમયગાળા દરમિયાન વેપાર, ઉદ્યોગ, નાણાં અને નાયબ વડા પ્રધાન હતા. * કનૈયાલાલ મુનશી ૧૯૫૦થી ૧૯૫૨ સુધી નેહરુ મંત્રીમંડળમાં અન્ન અને કૃષિ ખાતાના કેબિનેટ મંત્રી હતા. વૃક્ષારોપણ એ એમની દેણ છે. * અશોક મહેતા ૧૯૬૬થી ૧૯૬૮ સુધી એ પછી મોરારજીભાઈના શાસનમાં પેટ્રોલિયમ મંત્રી હતા. * મનુભાઈ શાહ ૧૯૫૬થી ૧૯૬૬ સુધી ઉદ્યોગ અને વેપાર વિભાગના મંત્રી હતા. * જયસુખલાલ હાથી ૧૯૫૨થી ૧૯૬૯ સુધી સિંચાઈ, વીજળી લેબર, ડિફેન્સ, રોજગારી, ગૃહ વગેરે વિભાગમાં નાયબ મંત્રી, રાજ્યમંત્રી હતા. * ખંડુભાઈ દેસાઈ ૧૯૫૪થી ૧૯૫૭ સુધી લેબર મિનિસ્ટર હતા. * કે.કે. શાહ ૧૯૬૭થી ૧૯૭૧ સુધી માહિતી અને પ્રસારણ, આરોગ્ય પરિવાર નિયોજન ખાતાના મંત્રી હતા. * હિતેન્દ્રભાઈ દેસાઈ ૧૯૭૬થી ૧૯૭૭ અને ૧૯૭૯થી ૧૯૮૦ સુધી હાઉસિંગ, કોમર્સ, સિવિલ સપ્લાય વિભાગના મંત્રી હતા. * એચ.એમ. પટેલ ૧૯૭૭થી ૧૯૭૯ સુધી નાણાં, રેવન્યૂ તેમજ ગૃહખાતાના મંત્રી હતા. * ઘનશ્યામ ઓઝા ૧૯૭૧થી ૧૯૭૨ સુધી ઉદ્યોગ વિભાગના મંત્રી હતા. * માધવસિંહ સોલંકી ૧૯૮૮થી ૧૯૮૯ આયોજન વિભાગના મંત્રી એ પછી ૧૯૯૦માં વિદેશપ્રધાન તરીકે કામ કર્યું હતું. * એમ.સી.શાહ ૧૯૫૨થી ૧૯૫૭ સુધી નાણાવિભાગમાં નાયબમંત્રી હતા. * શંકરસિંહજી વાઘેલા ૨૦૦૪થી ૨૦૦૯ સુધી ટેક્સ્ટાઇલ વિભાગમાં કેબિનેટ મંત્રી હતા. * દિનશા પટેલ ઃ ૨૦૦૬થી ૨૦૦૯ તેમજ ૨૦૧૧ થી ૨૦૧૪ દરમિયાન પેટ્રોલિયમ, નેચરલ ગેસ, ખાણ-ખનીજ ખાતામાં પ્રારંભમાં રાજ્યમંત્રી એ પછી કેબિનેટ મંત્રી હતા. * મનુભાઈ કોટડિયા ૧૯૮૯-૧૯૯૧ સુધી જળસંસાધન તેમજ ટ્રાન્સપોર્ટ વિભાગમાં પ્રારંભમાં રાજ્યમંત્રી પછી કેબિનેટ મંત્રી હતા. * મહિલાઓમાં ઊર્િમલાબહેન પટેલ, ભાવનાબહેન ચીખલિયા અને કુમુદબહેન જોશીનો મંત્રી તરીકે વરણી નોંધપાત્ર છે. ઉપરોક્ત વ્યક્તિ વિશેષો ઉપરાંત અન્ય ખમતીધર ગુજરાતીઓ કેન્દ્ર સરકારમાં મંત્રીપદ પામ્યા છે. જેની યાદી લાંબી છે પરંતુ કેટલાંક નામ ઉલ્લેખનીય છે. જેમાં હિંમતસિંહજી ઓફ માણસા, યોગેન્દ્ર મકવાણા, એહમદ પટેલ, જશવંત મહેતા, એચ.એમ. ત્રિવેદી, બી.કે. ગઢવી, જે.વી. શાહ, મગનભાઈ બારોટ, દિગ્વિજયસિંહજી. પ્રભુદાસ પટેલ, નરેન્દ્રસિંહજી મહિડા, ચીમનભાઈ મહેતા, ઉત્તમભાઈ પટેલ, શાંતિલાલ પટેલ, વલ્લભભાઈ કથીરિયા, હરિન પાઠક, નારણ રાઠવા, કાશીરામ રાણા, એ.કે. પટેલ, તુષાર ચૌધરી, ભરતસિંહ સોલંકી વગેરેના નામો સ્મરણપટ પર અંકિત થાય છે. પ્રધાનપદની વ્યાખ્યામાં કેબિનેટ મંત્રી, રાજ્યકક્ષાના મંત્રી, નાયબ મંત્રી અને સંસદીય મંત્રીનો સમાવેશ થાય છે. ગુજરાતના રાજકારણની વિશિષ્ટતા અને ઉદારતા એ છે કે કેટલાક રાષ્ટ્રીય સ્તરના નેતાઓ ગુજરાતી ન હોવા છતાં ગુજરાતમાંથી લોકસભા- રાજ્યસભામાં ચૂંટાઈને કેન્દ્ર સરકારમાં ઉચ્ચપદ પામ્યા છે. જેમાં એસ.કે. પાટિલ, અટલબિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી, પ્રણવ મુખરજી, રવીન્દ્ર વર્મા, વી.સી. શુકલા વગેરે વ્યક્તિ વિશેષોનો સમાવેશ થાય છે. તો બીજી તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત બહારથી એટલે કે ઉત્તરપ્રદેશના વારાણસીમાંથી ચૂંટાઈને વડાપ્રધાન પદ પામ્યા છે. એક હકીકત પણ સ્વીકારવી જોઈએ કે ભારતની સ્વતંત્રતા પછીનાં થોડાંક વર્ષો દરમિયાન કોંગ્રેસ પાસે એકથી વધુ રાષ્ટ્રીય સ્તરના નેતાઓ હતા. ગાંધીજીએ પંડિત નહેરુ પર પસંદગી ન ઉતારી હોત તો ગુજરાતના નસીબે અને ભારતના હિતમાં દેશના પહેલાં વડા પ્રધાન ‘હું ગુજરાતી ભારતવાસી એવા સરદાર પટેલ હોત !’ ૧૫ ઓગસ્ટ ૧૯૪૭થી ૧૫ ડિસેમ્બર ૧૯૫૦ સુધીની રાષ્ટ્રીય સરકારમાં સરદાર પટેલની ઉજ્જવળ શાસનશૈલી અને પ્રભાવક સમજશૈલી ઇતિહાસના પાનાઓ ઉપર નોંધાયેલી છે કે સરદાર પટેલે દેશ આખાની એકતા, અસ્મિતા અને અખંડિતતા માટે કુનેહપૂર્વક કામ કરી બતાવ્યું એટલું જ નહીં ભાવિ ભારતના સુશાસન માટેની ઇમારતના પાયાની ઈંટ મજબૂત રીતે ચણી આપી. આઝાદી પછી માત્ર ચાર વર્ષ અને ત્રણ માસનું આયુષ્ય ભોગવનાર સરદાર પટેલ ગુજરાતનું ગૌરવ હતા પરંતુ દેશના એ ભારતરત્ન હતા, ભાગ્ય વિધાતા હતા. નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે. તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન TRENDING NOW 39744 Views 24180 Views 21916 Views 20052 Views
Population populism: UP draft population bill fails tests of necessity, intrusiveness downtoearth.org.in - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from downtoearth.org.in Daily Mail and Mail on Sunday newspapers.
Delimitation Comm seeks data of maximum SC, ST population in Assembly seats of J&K Delimitation Comm seeks data of maximum SC, ST population in Assembly seats of J&K *7 SC constituencies in Jammu to be dereserved Sanjeev Pargal JAMMU, July 21: The Delimitation Commission is working on data obtained from the Associate Members and District Electoral Officers (DEOs) of Jammu and Kashmir for reservation of around 18-20 Assembly seats for Scheduled Castes (SCs) and Scheduled Tribes (STs). Reliable sources told the Excelsior that the Commission has already taken data from the DEOs about the districts, tehsils and previous Assembly constituencies which had maximum number of SC and ST electorates during their four-day visit to Jammu and Kashmir and prior to that the virtual meeting of an Election Commission official with the DCs.
માતૃભાષામાં ટેક્નોલોજીના શિક્ષણની પહેલ sandesh.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from sandesh.com Daily Mail and Mail on Sunday newspapers.
માતૃભાષામાં ટેક્નોલોજીનાં શિક્ષણની પહેલ ઃ એક આવકારદાયક પગલું Share અખિલ ભારતીય ટેક્નોલોજી શિક્ષણ પરિષદ અર્થાત એઆઇસીટીઇએ એન્જિનિરિંગનો અભ્યાસ અંગ્રેજીની સાથોસાથ હિન્દી સહિત ૮ ભાષામાં કરાવવાની પહેલ કરી અને સરકાર દ્વારા તે પહેલને મંજૂરી પણ મળી ચૂકી છે. અંગ્રેજી ઉપરાંત હિન્દી, તામિલ, તેલુગુ, બાંગ્લા, મરાઠી, કન્નડ, મલયાલમ અને ગુજરાતી ભાષાનો તેમાં સમાવેશ થાય છે. હકીકતે તે વાતે ખેદ જાહેર થવો જોઈએ કે આવી પહેલ હજી સુધી કેમ ના થઈ. આપણે આપણી ભાષાને તિરસ્કારીને અંગ્રેજો દ્વારા થોપવામાં આવેલી ભાષામાં જ શા માટે ભણતા રહ્યા અને ભણાવતા રહ્યા? એવો સમય આવ્યો કે સામાન્ય ધારણા જ બની ગઈ કે તકનીક સંબંધી વિષયો તો અંગ્રેજી ભાષામાં જ ભણાવી શકાય તેમ છે. આવી ધારણા બંધાવા માટે અનેક જવાબદાર કારણો છે. પ્રથમ તો અંગ્રેજી ભાષાને બાદ કરતાં અન્ય ભાષામાં ટેક્નોલોજી વિષયક પુસ્તકો જ ઉપલબ્ધ નહોતા.આ ચિંતાજનક વિષય જ કહી શકાય. પરંતુ આ દિશામાં પહેલેથી દૃઢ ઇચ્છાશક્તિ સાથે કાર્ય થયું હોત તો કદાચ આટલો વિલંબ ના થાત. ભલે મોડી મોડી પણ આ હકારાત્મક પહેલ છે, કેમ કે માતૃભાષામાં શિક્ષણ પ્રાપ્ત કરવું સરળ પડે છે. વિચાર વિનિમયનું એકમાત્ર સાધન ભાષા છે. સ્વાભાવિકરૃપે મનુષ્ય પોતાની માતૃભાષાનું સર્જન પહેલાં કરે છે. કોઈપણ વ્યક્તિ માતૃભાષા શીખી લે તે પછી તે ભાષામાં અન્ય વિષયો શીખવા અન્ય ભાષાને મુકાબલે સરળ પડે છે. કેમ કે તેમ થતાં આપણા મગજે અનુવાદની સ્થિતિમાંથી પસાર નથી થવું પડતું. માતૃભાષાને બાદ કરતાં અન્ય ભાષામાં વિચારો ગ્રહણ કરીએ છીએ ત્યારે સૌ પ્રથમ તો આપણે તેને આપણી માતૃભાષામાં બદલીએ ત્યારે સમજી શકીએ છીએ. માતૃભાષામાં મગજ સૌથી સારી રીતે સમજી શકે છે. ભારતના મોટાભાગના યુવાનો ગ્રામીણ વિસ્તારમાંથી જ આવતા હોય છે. તેમના માટે પ્રાદેશિક ભાષા દૈનિક જીવનનો ભાગ હોય છે. તે યુવાનો પોતાની ભાષામાં સહજ હોય છે. અંગ્રેજી જેવી બીજી ભાષા તો તેઓ મજબૂરીમાં શીખતા હોય છે, કેમ કે તેમને ખબર હોય છે કે અંગ્રેજી વિના તેમનું ભવિષ્ય ઉજ્જવળ નહીં બની શકે. તાજેતરના નિર્ણયથી બીજી ભાષાને મજબૂરીમાં શીખવાની સ્થિતિ દૂર થઈ જશે. જે પોતોની રુચિ અને શોખથી શીખવા માંગે છે તેમના માટે તો વિકલ્પ ખુલ્લા જ છે. ત્રણ ચાર વર્ષ પહેલાં ભોપાલના અટલબિહારી વાજપેયી સંસ્થાને સૌ પ્રથમ ઇજનેરી વિષયનું શિક્ષણ હિન્દી ભાષામાં આપવાની શરૃઆત કરી હતી. તે પહેલને આવકારવામાં આવી હતી. પરંતુ પૂરી તૈયારી ના હોવાથી અને હિન્દી ભાષામાં પૂરતા પુસ્તકો ઉપલબ્ધ ના હોવાથી આ પ્રયાસ નબળો પડી ગયો. આપણે આ ભૂલ સુધારીને યોગ્ય નીતિ સાથે આગળ વધવાનો પ્રયાસ કરવો જોઈએ. આપણે આ ભૂલમાંથી શીખીશું નહીં તો અંગ્રેજીની વકીલાત કરનારા એમ કહેવાનું શરૃ કરી શકે છે કે ભૂતકાળમાં પણ આવા પ્રયાસ થયા હતા પરંતુ સફળ ના રહ્યા.અંગ્રેજી ભાષાના પુસ્તકોનો અન્ય ભાષામાં અનુવાદ કરવા માટે સેવાનિવૃત્ત અધ્યાપકો, શિક્ષકોની મદદ લઈ શકાય છે. અનુવાદ કરતી વખતે આપણે પોતાની ભાષામાં લચીલાપણું લાવીશું તો બહેતર રહેશે. આપણે તેમાં સફળ રહીશું તો વર્તમાનમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારોની શિક્ષણ ગુણવત્તામાં જે તફાવત જોઈ રહ્યા છીએ તેને દૂર કરવામાં મદદ મળશે. શહેરી યુવાનો અંગ્રેજીની સાથોસાથ ગામડાના યુવાનોને મુકાબલે વધુ સહજ છે. તેથી તેઓ અંગ્રેજી ભાષામાં અનેક વિષયો ભણી શકે છે. પુસ્તકો ઉપરાંત અન્ય ટેક્નોલોજી માધ્યમો , જેવા કે સ્માર્ટ ફોન, ટેબ્લેટ કે કમ્પ્યૂટર પર આ વિષયક ઉપલબ્ધ સામગ્રીની ભાષા અંગ્રેજી છે. ગ્રામીણ યુવાનો બેવડી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. એક તો એમની પાસે ટેક્નોલોજીના સાધનો ઓછા છે , અને જે સાધનો ઉપલબ્ધ છે તેની ભાષા અનુકૂળ ના હોવાનો કારણે અપેક્ષા કરતાં પાછળ રહે છે. પ્રાદેશિક ભાષામાં ટેક્નોલોજી સંબંધી પુસ્તકો ઉપલબ્ધ રહેતાં સ્માર્ટફોન અને કમ્પ્યૂટર પણ તે ભાષામાં સાહિત્ય ઉપલબ્ધ રહેવા લાગશે. ભારતમાં મોટા ભાગના કેન્દ્રીય વિશ્વવિદ્યાલયોમાં માનવ શાસ્ત્ર શાખાના ભાષાશાસ્ત્ર વિષયોને બાદ કરતાં અંગ્રેજી ભાષાના સારા પુસ્તકોના હિન્દી કે અન્ય ભાષામાં અનુવાદ ખૂબ ઓછી સંખ્યામાં મળી શકે છે. તેથી જ અંગ્રેજીને બાદ કરતાં અન્ય ભાષાના જાણકાર વિદ્યાર્થીને સમસ્યાનો સામનો કરવો પડે છે. વિજ્ઞાાન શાખાનું શિક્ષણ દેશના નાના મોટા કે સારા ખરાબ વિશ્વવિદ્યાલયોમાં પણ લગભગ અંગ્રેજી ભાષાના માધ્યમથી જ આપવામાં આવે છે. હકીકતે આપણી શિક્ષણ વ્યવસ્થા માનસિક ગુલામીના દોરમાંથી બહાર નથી આવી શકી. આપણા પાડોશી દેશ ચીનનું ઉદાહરણ આપણી સામે પડેલું છે. તે સતત બધું પોતાની ભાષામાં તૈયાર કરીને વિજ્ઞાાન અને ટેક્નોલોજી મોરચે મહાશક્તિ બનવા તરફ અગ્રેસર છે. વિકસિત દેશ જાપાન, કોરિયા કે જર્મની જેવા યુરોપીય દેશોએ પણ પોતાની ભાષા જ પકડી રાખી છે. ભારત જેવા વિવિધભાષી દેશમાં આ ઘટના પડકારરૃપ જરૃર છે પરંતુ એવું નથી કે તેનો ઉકેલ જ ના શોધી શકાય. હાલમાં એન્જિનિયરિંગનું શિક્ષણ ૮ પ્રાદેશિક ભાષામાં આપી શકાય તેવા પ્રયાસોની શરૃઆત થઈ ચૂકી છે. આગળ જતાં ૮મી અનુસૂચિમાં આવેલી ૧૧ ભારતીય ભાષામાં તેનો વિસ્તાર કરવાની યોજના છે. પરંતુ ભારતીય ઉચ્ચ શિક્ષણના થોડાક અંશને જ તેથી સાંકળી શકાશે. ભારતમાં ટેક્નોલોજીના શિક્ષણ ઉપરાંત તબીબી વિજ્ઞાાન, પ્રબંધન વિષયક શિક્ષણ અંગ્રેજીમાં જ આપવામાં આવે છે. આઇઆઇટી પ્રવેશ પરીક્ષા પણ અંગ્રેજીમાં જ લેવામાં આવે છે. આવા પસંદગીના વિષયો ઉપરાંત હોટેલ મેનેજમેન્ટ, બાયોટેક્નોલોજી, ફેશન ડિઝાઇન જેવા અભ્યાસક્રમોની ભાષા પણ અંગ્રેજી છે. ગ્રામીણ કે આદિવાસી યુવાનોને આપણે માત્ર ભાષા માધ્યમને કારણે શિક્ષણથી વંચિત રાખીશું તો તે શરમજનક બની રહેશે. સરકાર સમક્ષ માગણી કરતાં રહેવું પડશે કે એન્જિનિયરિંગ ઉપરાંત તમામ વિષયના અભ્યાસક્રમના પુસ્તકો અંગ્રેજી ઉપરાંત મહત્ત્વની પ્રાદેશિક ભાષામાં પણ ઉપલબ્ધ કરે. આમ થશે તો દેશના ગ્રામીણ અને આદિવાસી સમૂહના યુવાનોને પણ શિક્ષણ માટે ભાષાકીય અવરોધનો સામનો કરવો નહીં પડે. નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે. તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન Photo Gallery
PM’s stamp on modified council of ministers Modi banking on his countrywide charisma and visage vitality has turned the institution into a faceless façade of centralism. Share Via Email | A+A A- President Ram Nath Kovind, 1st Lady Savita, Vice President M Venkaiah Naidu, PM Narendra Modi and LS Speaker Om Birla in a group photograph with the newly sworn-in Council of Ministers. (Photo | PTI) Face readers who examine the countenance of Prime Minister Narendra Modi’s new Cabinet will be puzzled by the takeaway. It has only one face, Modi. But it has a number of expressions, the ministers.
Adorable faces define a Modified cabinet newindianexpress.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from newindianexpress.com Daily Mail and Mail on Sunday newspapers.
Ashwini Vaishnaw and Ram Chandra Prasad Singh Outlook Web Desk 2021-07-08T07:44:44+05:30 Bureaucrats To Ministers: Former IAS Officers Inducted In Modi Cabinet outlookindia.com 2021-07-08T08:31:28+05:30 Also read In a major overhaul of the council of ministers, the Narendra Modi-led Bharatiya Janta Party government on Wednesday introduced several new faces into the Union Cabinet. With the exit of Dr Harsh Vardhan, Mansukh Mandaviya will take charge of the Union Health Ministry while Smriti Irani will retain the Ministry of Women and Child Development. In all 43 ministers, 15 of Cabinet rank and 28 ministers of state were sworn in on Wednesday.
Modi fires 7 ministers in Covid crisis reshuffle - Newspaper dawn.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from dawn.com Daily Mail and Mail on Sunday newspapers.